December 11, 2023

9 દિવસે મૃતદેહ મળી આવ્યો:ઉનાના નવાબંદરના મધદરિયે 18 નોટીકલ માઇલ દૂર માછીમાર ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો; ભારે શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

9 દિવસે મૃતદેહ મળી આવ્યો:ઉનાના નવાબંદરના મધદરિયે 18 નોટીકલ માઇલ દૂર માછીમાર ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો; ભારે શોધખોળ બાદ મૃતદેહ મળ્યો
Views: 1954
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 32 Second

ઉનાના નવાબંદરના માછીમારો દસ દિવસ પહેલા બોટ લઇ મધદરિયે દરિયામાં ફિશિંગ કરવા ગયા હતા અને મધદરિયે ફિશિંગ દરમિયાન અકસ્માતે એક ખલાસી પડી જતાં દરિયાનાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં લાપત્તા બનેલાં માછીમારની શોધખોળ કરવામાં આવી હતી. આજે નવ દિવસ બાદ આ માછીમારનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મધદરિયેથી મળી આવતા અન્ય બોટના માછીમારો દ્વારા નવાબંદર કાંઠે લઇ આવી પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલો છે.

નવાબંદર ગામે રહેતો હશન આરીફ ચાવડા નામનો ખલાસી દસ દિવસ પહેલા સાદીક ઈસ્માઈલ ચાવડાની માલીકીની અજમેરી નામની બોટમાં ખલાસીઓ ટંડલ સાથે ફિશિંગ કરવા ગયો હતો અને મધદરિયે 18 નોટીકલ માઇલ દૂર ફિશિંગ દરમ્યાન હશન આરીફભાઈ ચાવડાનો બોટમાંથી પગ લપ્સી જતાં દરિયામાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બોટમાં રહેલાં અન્ય ખલાસીઓ દ્વારા તાત્કાલીક દરિયાના પાણીમાં યુવાનની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ દરિયાના ઉંડા પાણીમાં ગરકાવ થયેલો માછીમાર મળી આવ્યો ન હતો. આ બાબતે નવાબંદર મરીન પોલીસમાં બોટ માલીકે અરજી આપી જાણ કરીહતી.

9 દિવસે મૃતદેહ મળી આવ્યો:ઉનાના નવાબંદરના મધદરિયે 18 નોટીકલ માઇલ દૂર માછીમાર ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો; ભારે શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author