December 11, 2023

વેરાવળ જાલેશ્વર ખાતે બાવા અકબરશાહ ગૃપ દ્વારા શહિદે-એ-આઝમ ઇમામ-એ-હુશેન(ર.અ.) નિમિત્તે શાનદાર જલ્સાની ઉજવણી

<strong>વેરાવળ જાલેશ્વર ખાતે બાવા અકબરશાહ ગૃપ દ્વારા શહિદે-એ-આઝમ ઇમામ-એ-હુશેન(ર.અ.) નિમિત્તે શાનદાર જલ્સાની ઉજવણી</strong>
Views: 1491
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 43 Second

રાવળનાં જાલેશ્વર ખાતે બાવા અકબરશાહ ગૃપ દ્વારા પીરે તરીકત પીર અર્બ્દુરહીમમીંયા કાદરી (મોરબીવાળા) ની ઉપસ્થિતિમાં શહિદે-એ-આઝમ ઇમામ-એ-હુશેન(ર.અ.) પ્રસંગે ન્યાઝ અને તકરીરનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ. તેમાં મોરબીવાળા બાપુએ તેમની જોશીલી અને અસરકારક વાણીથી તકરીર કરી હિન્દુ-મુશ્લીમનાં ભેદ-ભાવથી પર રહી,પરસ્પર ભાઇચારો કેળવી, એકતા કાયમ રાખવા પર ભાર મુકી ગરીબ નવાઝે આપેલા આદેશ મુજબ ગરીબો અને નિ:સહાય લોકોને મદદ કરવાની રાહે ચાલવા અપીલ કરેલ. તેમજ તેઓ દ્વારા તમામ માટે દુઆઓ કરવામાં આવી હતી.

<strong>વેરાવળ જાલેશ્વર ખાતે બાવા અકબરશાહ ગૃપ દ્વારા શહિદે-એ-આઝમ ઇમામ-એ-હુશેન(ર.અ.) નિમિત્તે શાનદાર જલ્સાની ઉજવણી</strong>

        ઉપરાંત ઉપસ્થિત તમામ શ્રોતાઓને આજના યુગમાં બાળકોને શિક્ષણ તરફ આગળ વધવા અને સ્વચ્છ ભારત મિશનનાં સુત્રને સાર્થક કરી આપણ સૈા આપણુ ફરીયુ સ્વચ્છ રાખવાની સાથે તંદુરસ્ત આરોગ્ય જાળવવા સહભાગી થવા મોરબીવાળા બાપુએ અનુરોધ કર્યો હતો.

        આ શાનદાર પ્રોગ્રામમાં મૈાલાના અનવરબાપુ શામદાર અને શાહીલબાપુ શામદારે નાતે મુસ્તફા અને મરતબે હુશેન પઢેલ. આ પ્રસંગે બહોળી સંખ્યામાં અકીદત મંદોએ અને મુરીદોએ બહોળી સંખ્યામાં હાજરી આપી સવાબેદારીન હાંસલ કરેલ.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author