September 28, 2023

મતદાન પૂરુ થવાના સમય પહેલાના ૪૮ કલાકથી ચૂંટણી પ્રચાર પર રહેશે પ્રતિબંધ

<strong>મતદાન પૂરુ થવાના સમય પહેલાના ૪૮ કલાકથી ચૂંટણી પ્રચાર પર રહેશે પ્રતિબંધ</strong>
Views: 1219
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 40 Second
<strong>મતદાન પૂરુ થવાના સમય પહેલાના ૪૮ કલાકથી ચૂંટણી પ્રચાર પર રહેશે પ્રતિબંધ</strong>

વિધાનસભા ચૂંટણી અંતર્ગત ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. મતદાનની પ્રક્રિયા કોઈપણ જાતની ખલેલ વગર શાંત વાતાવરણમાં યોજાય અને કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.ગોહિલ દ્વારા જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

જાહેરનામા અનુસાર ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી કલમ-૧૨૬ અનુસાર મતદાન વિસ્તારમાં ચૂંટણી માટેનું મતદાન પૂરુ કરવા નિયત કરેલા સમયે પૂરા થતા ૪૮ (અડતાલીસ) કલાકના સમય દરમિયાન કોઈ વ્યક્તિએ મતદાન વિસ્તારમાં જાહેરસભા બોલાવવી, ભરવી કે તેમાં હાજરી આપવી નહીં. સભા બોલાવવી કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ રહેશે તેમજ મતદારના વ્યક્તિગત સંપર્ક દરમિયાન કોઈને ઉતારી પાડતા, ચારિત્ર્ય ખંડન કરતા પ્રવચનો કરવા નહીં.

ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થતાં રાજકીય પદાધિકારોએ ચૂંટણી પ્રચારના અંત પછી તાત્કાલિક ધોરણે મતદાન વિભાગ છોડી દેવાનો રહેશે તેમજ મતદાર વિભાગની હદમાં મતદાર વિભાગની બહારથી આવતા વાહનોની સંબંધિત પોલીસ સ્ટેશને નોંધ કરાવવાની રહેશે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %

Share with:


About Author