
ઉના શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર મચ્છુન્દ્રી નદી પર આવેલા પુલ ઉપરનો બિસ્માર રસ્તો તેમજ પુલ પરની સાઇડોની રેલીંગ જર્જરિત તુટી ગયેલી હાલતમાં હોય આ બાબતે ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડે રજૂઆત કરી આ પુલનું સત્વરે રીપેર કરવા તંત્રને રજૂઆત કરી હતી. આ રજૂઆતને લઈ મચ્છુન્દ્રી નદીના પુલ પર રસ્તાનું કામ તથા રેલીંગ રીપેંરીગની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે.
ત્યારે ધારાસભ્ય કે.સી.રાઠોડે સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. અને મચ્છુન્દ્રી નદી પર પુલ ઉપરનો બિસ્માર રોડ અને રેલીંગ રિપેર બાબતે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. આમ ડબલ ઍન્જીનની સરકારના જાગૃત ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની કામગીરીને લોકોએ બીરદાવી હતી. અને હવે પુલ ઉપરની સમસ્યા વાહન ચાલકોને હલ થશે. અગાઉ થોડા દિવસો પહેલા પણ રોડનું કામ કરાવ્યું હતું.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન