December 11, 2023

જાંબુર ખાતે કેન્દ્ર સરકારના રાજ્ય નાણાં મંત્રીશ્રી ડૉ. ભાગવતભાઈ કરાડે પદ્મશ્રી હીરાબાઈ લોબીનું કર્યુ સન્માન

જાંબુર ખાતે કેન્દ્ર સરકારના રાજ્ય નાણાં મંત્રીશ્રી ડૉ. ભાગવતભાઈ કરાડે પદ્મશ્રી હીરાબાઈ લોબીનું કર્યુ સન્માન
Views: 1026
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 34 Second

કેન્દ્ર સરકારના રાજ્ય નાણાં મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે સમાજસેવા બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના વતની હીરાબાઈ લોબીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જાંબુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી હીરાબાઈ લોબીનું સન્માન કર્યુ હતું.

આ તકે, મંત્રીશ્રીએ અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળતું રહે તેવી હીરાબાઈની સમાજલક્ષી કાર્યશૈલીને બીરદાવી કહ્યું હતું કે, હું ગર્વ અનુભવી રહ્યો છું કે ગ્રામીણક્ષેત્રની એક મહિલાએ પોતાની આખી જિંદગી આદિવાસી અને છેવાડાના સમુદાય માટે અર્પણ કરી. દેશમાં વિકાસની ધૂરા સંભાળનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમની મહેનતની યોગ્ય કદર કરી છે. ગ્રામ્ય મહિલાઓનું જીવનધોરણ કેમ ઊંચુ આવે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં રહીને ઉત્તમકક્ષાનું કામ કરવું એ મહત્વપૂર્ણ છે. હીરાબાઇને પદ્મશ્રી સન્માન એ ગીર સોમનાથ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

જાંબુર ખાતે કેન્દ્ર સરકારના રાજ્ય નાણાં મંત્રીશ્રી ડૉ. ભાગવતભાઈ કરાડે પદ્મશ્રી હીરાબાઈ લોબીનું કર્યુ સન્માન

આ તકે, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર, પ્રદેશ કિશાન મોરચા ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ પંચાયત મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વડોદરિયા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી વિજયભાઈ ઠાકર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબહેન બારૈયા પ્રાંતઅધિકારી શ્રી કે.વી.બાટી, તાલાલા મામલતદાર શ્રી એન.સી.વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઈ પરમાર, માધુપુર-જાંબુર સરપંચશ્રી વિમલભાઈ વાળોદરિયા સહિત ગ્રામજનોની પણ બહોળી ઉપસ્થિતી રહી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author