December 11, 2023

ગીર સોમનાથમાં ૪ વિધાનસભા બેઠકમાં હશે ૪ દિવ્યાંગ મતદાન મથકો

ગીર સોમનાથમાં ૪ વિધાનસભા બેઠકમાં હશે ૪ દિવ્યાંગ મતદાન મથકો
Views: 2783
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 28 Second
ગીર સોમનાથમાં ૪ વિધાનસભા બેઠકમાં હશે ૪ દિવ્યાંગ મતદાન મથકો

ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તથા સુવિધા આપવા માટે વિધાનસભા ચૂંટણીમાં અલગ-અલગ વિશિષ્ટ મતદાર મથક તૈયાર કર્યા છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ચાર વિધાનસભા બેઠકમાં દરેક વિધાનસભા બેઠક દિઠ એક એમ ચાર દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે.

જે અંતર્ગત ૯૦-સોમનાથમાં મતદાન મથક નં ૨૪૮ કાજલી-3, ૯૧-તાલાળા વિધાનસભા તાલુકા મથકે ૪૦ રમરેચી-૧, દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કરાશે. જ્યારે ૯૨-કોડીનાર વિધાનસભા બેઠકમાં ૧૪૪ દેવડી-૬માં અને ૯૩-ઉના વિધાનસભા બેઠકમાં ૧૫૨ ઉના-૩૨ ખાતે દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ તમામ મથકોમાં દિવ્યાંગ કર્મચારીઓ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર-૧ તેમજ પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે કાર્યરત રહેતા લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author