December 11, 2023

ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી

ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
Views: 19821
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 37 Second

સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં સફાઈ અભિયાન પૂરઝડપ ચાલી રહ્યું છે ત્યારે ગીર સોમનાથજિલ્લાના વિવિધ ગામોમાં પણ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરાઈ છે. ઉના ડમાશા, કોડીનારના મૂળ દ્વારકા, વેરાવળના આંબલિયાળા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામજનોએ સહભાગીદારી નોંધાવી હતી અને આ અભિયાનમાં હોંશે હોંશે સાફસફાઈમાં ભાગ લીધો હતો.

‘મારૂ ગામ, નિર્મળ ગામ’ સૂત્રને સાર્થક કરતા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વેરાવળ તાલુકાના આંબલિયાળા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં પ્લાસ્ટિકનો કચરો અને લાકડાના ટૂકડાં વગેરે કચરો એકત્રિત કરી અને સફાઈ હાથ ધરવામાં આવી હતી.

ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી

જ્યારે ઉના  તાલુકાના ડમાશા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાયક્લોન સેન્ટરના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ જ્યારે કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત દરિયાઇ કાંઠા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author