December 12, 2023

ગીર સોમનાથમાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત રિવ્યૂ મિટિંગ યોજાઈ

ગીર સોમનાથમાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત રિવ્યૂ મિટિંગ યોજાઈ
Views: 829
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 5 Second

ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારે “સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન” અમલી બનાવ્યું છે. સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તા.૧૫/૦૩/૨૦૨૩ના રોજ ૧૧:૩૦ કલાકે કલેકટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કલેકટર શ્રી આર.જી.ગોહિલના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવેલ.

આ મિટિંગમા કલેકટરશ્રી દ્વારા સંબંધિત તમામ અધિકારીશ્રીઓને સુજલામ સુફલામ જલ અભિયાન ૨૦૨૩ અંતર્ગત શહેરી વિકાસ, પાણી પુરવઠા બોર્ડ, જળ સંપતિ વિભાગ, વન વિભાગ, વગેરે તમામ વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરવાનું આયોજન થયેલું છે. જે અન્વયે  જળસંચયના કામો તેમજ અભિયાનના આયોજનમાં લીધેલ કામો જરૂરી પ્રક્રીયા તાત્કાલિક પૂર્ણ કરી અધૂરા કામો સત્વરે પૂર્ણ કરવા તેમજ નવા કામ ચાલુ કરવા સુચના આપવામા આવી હતી.

ગીર સોમનાથમાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત રિવ્યૂ મિટિંગ યોજાઈ

ઉપરાંત વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ જળસંચયના કામો તેમજ તળાવો ઉંડા કરવાના કામો અંગે પણ ધ્યાન દોર્યુ હતું. નોંધનીય છે કે, જળસંગ્રહ અભિયાન અંતર્ગત ચેકડેમ રીપેરીંગ, તળાવ ઊંડા કરવા, નદીઓ સાફ-સફાઈ કરવી, કેનાલ સાફ-સફાઈ કરવી આ તમામ પ્રકારના મરામતના અને જળસંચયના કામો હાથ ધરવામાં આવશે.

આ તકે અધિક કલેકટર શ્રી બી.વી.લિંબાસીયા, ગીર સોમનાથ સિંચાઇ વિભાગ કાર્યપાલક ઇજનેર શ્રી એ.પી કળસરિયા સહિત જિલ્લાના અમલીકરણ સમિતિના સંબંધિત તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author