
ગીર-સોમનાથમાં સાતમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ૧૦ યોગ કોચ અને ૧૦ ટ્રેનરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
ગીર-સોમનાથ તા. -સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનો શુભારંભ વર્ચ્યુલ માધ્યમથી કરાવ્યો હતો. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે ૧૦ યોગ કોચ અને ૧૦ યોગ ટ્રેનરોને અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં કુલ ૧૬ યોગ કોચ અને ૪૩૦ જેટલા યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ ૮૩૦ જેટલા લોકો કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબ ઓનલાઇન યોગની તાલીમ
મેળવી રહ્યા છે. તેમજ વર્ષ દરમ્યાન તાલીમ આપતા યોગ કોચ અને ટ્રેનરોમાંથી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમજ તેમના દ્વારા રેગ્યુલર ચલાવવામાં આવતા તાલીમ વર્ગ સિધ્ધી બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ તકે પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અશ્વીન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ