September 28, 2023

ગીર સોમનાથમાં પરવાનગી વગર સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ

<strong>ગીર સોમનાથમાં પરવાનગી વગર સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ</strong>
Views: 831
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 35 Second
<strong>ગીર સોમનાથમાં પરવાનગી વગર સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ</strong>

ગીર સોમનાથતા.૧૨ગીર સોમનાથમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા પરવાનગી વગર સભા-સરઘસ કાઢવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનું પાલન ન કરનારને ગુનો સાબીત થયે દંડની શિક્ષા થશે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અનુસાર સાદી કેદ અથવા રૂ.૨૦૦ સુધીનો દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે.

વધુમાં જાહેરનામા અનુસાર ફરજ પર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યક્તિઓને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાનયાત્રામાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર પરવાનગી મેળવનારને આ હુકમ લાગુ પડશે નહીં.

આ હુકમની અવગણના તેમજ માનવજીવનને નુકસાન અથવા સ્વાસ્થ્ય કે સલામતીને ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ થાય તો વ્યક્તિને ૬(છ) માસની સાદી કેદ અથવા રૂ.૧૦૦૦ સુધીનો દંડ બન્ને શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તા.૧૪-૧૧-૨૦૨૨થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author