December 12, 2023

ગીર સોમનાથના સુત્રાપાડામાં રોડની કામગીરી માટે ડાયવર્ઝન

ગીર સોમનાથના સુત્રાપાડામાં રોડની કામગીરી માટે ડાયવર્ઝન
Views: 866
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 3 Second
ગીર સોમનાથના સુત્રાપાડામાં રોડની કામગીરી માટે ડાયવર્ઝન

 ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. રોડની કામગીરી કરવા માટે ૭.૦ કિ.મી. રોડ સંપૂર્ણપણે બંધ કરી વૈકલ્પીક રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.ગોહિલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામાં મુજબ સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. સુધીનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર નીચે મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા  જેમા રૂટ નં.૧) બીજ ગામથી નદીમાં થઈ નેશનલ હાઈવે તેમજ રૂટ નં.૨) બીજ–હરણાસા-ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવ તેમજ  રૂટ નં.૩) લાટી-હરણાસા– ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે  તેમજ  રૂટ નં.૪) પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે તેમજ રૂટ નં.પ) સુત્રાપાડા-જી.એચ.સી.એલ.-ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે સુધી રહેશે.

ઉપરાંત રૂટ નં.૬) ભારે વાહનો આવવા અથવા જવા બન્નેમાંથી એક સુત્રાપાડા-લોઢવા-પાદરૂકા− થરેલી વાળા રસ્તા પરથી અને રૂટ નં.૭) નાના અને મોટા બન્ને વાહનો આવવા જવા વૈકલ્પિક રસ્તા તરીકે અંબુજા કોરીડોર–ધામળેજ–લોઢવા ગામના રસ્તા પરથી મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા છે. આ જાહેરનામુ બહાર પાડયા તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત  શિક્ષાને પાત્ર થશે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author