September 28, 2023

ઉમરેઠી સમૂહ લગ્નોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અપાયા લગ્ન પ્રમાણપત્ર

ઉમરેઠી સમૂહ લગ્નોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અપાયા લગ્ન પ્રમાણપત્ર
Views: 1282
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 18 Second

યુવક મંડળ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ઉમરેઠી ગામે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમંડપમાં લગ્નવિધિ પૂરી થયા બાદ વહીવટી તંત્ર દ્વારા તરત જ લગ્ન પ્રમાણપત્રો તેમજ શ્રીમદ્ ભાગવત પુરાણ અપર્ણ કરવામાં આવ્યા હતાં. વહીવટી તંત્રની સ્થળ પર જ પ્રમાણપત્ર વિતરણ કરવાની પ્રશંસનિય કામગીરી ગ્રામ્યજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી વખાણી હતી.

ઉમરેઠી સમૂહ લગ્નોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અપાયા લગ્ન પ્રમાણપત્ર

આ લગ્નોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી કૌશિકભાઈ પરમાર, વિસ્તરણ અધિકારીશ્રી પંચાયત ચિરાગભાઈ પુરોહિત તથા ટી.એલ.ઈ.શ્રી સરમણભાઈ રામએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. ઉપરાંત આ લગ્નોત્સવમાં તલાટી કમ મંત્રી શ્રી મનીષાબેન પી. રામએ પોતાના તરફથી શ્રીમદ્ ભાગવત પુરાણ અર્પણ કરી યુગલોને આશિર્વાદ પાઠવ્યા હતાં તદુપરાંત લગ્ન પ્રમાણપત્રો તૈયાર કરવામાં વીસીઈ કપિલભાઈ બારડ સહિતના કર્મચારીઓએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author